ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે.
ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરીથી બંધ થતા તુરંત જ ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે.
રાજય સરકાર દ્વારા સકારાત્મક વલણ અપનાવી ભાવનગર સુરત વચ્ચે વિમાની સેવાને ફરીથી શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે અને ૯ બેઠકના વિમાનની સુવિધા પુનઃ પ્રાપ્ય બની છે, આથી ભાવનગરના વ્યાપાર ધંધા ક્ષેત્રના લોકો તેમજ અન્ય પ્રવાસીઓ માટે બંને શહેરો વચ્ચે ઝડપી હવાઈ પરિવહન મળી રહેનાર છે.
લોકોની સેવા અને સુવિધા માટે ભાજપ સરકાર પ્રતિબધ્ધ છે અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા માટે પણ સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે. નજીકના સમયમાં સકારાત્મક પરિણામ મળે એ માટે અવિરત પ્રયાસો શરૂ છે. દરમિયાનમાં ભાવનગર સુરત વચ્ચે ફરીથી વિમાની સેવા કાર્યરત થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel