કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચવ્હાણે દાવો કર્યો હતો કે આ ઑપરેશનના પ્રથમ જ દિવસે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે 7 ડિસેમ્બરના રોજ થયેલી એક નાની હવાઈ લડાઈમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો અને ભારતીય એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીનો ભય ઉભો થયો અને ભારતીય વાયુસેનાને આગળની કાર્યવાહી રોકવી પડી હતી. ચવ્હાણે આક્ષેપ કર્યો કે અડધા કલાકની હવાઈ અથડામણમાં ભારત સંપૂર્ણપણે હારી ગયું હતું અને ગ્વાલિયર, ભટિંડા તથા સિરસા જેવા મહત્વના એરબેઝ પરથી કોઈ વિમાન ઉડાન ભરી શક્યું નહોતું, કારણ કે ભારતીય જેટ તોડી પાડવાની શક્યતા અત્યંત ઊંચી હતી, જેના પરિણામે વાયુસેના વ્યવહારિક રીતે ‘ગ્રાઉન્ડેડ’ બની ગઈ હતી.
Pune: Former Maharashtra CM and senior Congress leader Prithviraj Chavan says, "Recently, we saw during Operation Sindoor, there was not even a one-kilometre movement of the military… Whatever happened over two or three days was only an aerial war and missile warfare. In the… pic.twitter.com/9xDCB7gdm2
— ANI (@ANI) December 16, 2025
ચવ્હાણે માત્ર ઑપરેશનના પરિણામ પર જ નહીં, પરંતુ ભારતના લશ્કરી માળખા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમગ્ર ઑપરેશન દરમિયાન જમીન પર સેનાની એક કિલોમીટરની પણ હિલચાલ થઈ નહોતી અને આખી કાર્યવાહી માત્ર હવાઈ તથા મિસાઈલ હુમલાઓ સુધી સીમિત રહી હતી. તેમણે દલીલ કરી હતી કે ભવિષ્યના યુદ્ધો આ જ પ્રકારના હશે, જેમાં આકાશી પ્રભુત્વ નિર્ણાયક બનશે. આ સંદર્ભમાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું આવી સ્થિતિમાં ભારતને 12 લાખ સૈનિકોની વિશાળ આર્મીની જરૂર છે કે પછી સેનાની તૈનાતી અને માળખા પર ફરીથી વિચાર કરવો જોઈએ.
આ નિવેદનો બાદ 17 ડિસેમ્બરે જ્યારે તેમની પાસે માફી માંગવાની માંગ કરવામાં આવી ત્યારે ચવ્હાણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને તેઓ શા માટે માફી માંગે. આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ અને પૃથ્વીરાજ ચવ્હાણ પર તીવ્ર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ચવ્હાણના નિવેદનને ભારતીય સશસ્ત્ર દળોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસની ઓળખ જ સેનાનું મનોબળ તોડવાની રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે “સેના કા અપમાન યહી કોંગ્રેસ કી પહેચાન” છે.
ઉલ્લેખનીય છે કે ‘ઑપરેશન સિંદૂર’ પહલગામ આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું અને ભારતીય સેનાએ સત્તાવાર રીતે વારંવાર જણાવ્યું છે કે આ ઑપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર, રાફેલ ફાઇટર જેટ, SCALP ક્રૂઝ મિસાઇલ અને HAMMER પ્રિસિઝન-ગાઈડેડ હથિયારો જેવા અત્યાધુનિક સાધનોના ઉપયોગથી 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ અગાઉ વિદેશી મીડિયામાં આવેલા એવા અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા જેમાં ભારતીય ફાઇટર જેટ્સને નુકસાન થયાની વાત કરવામાં આવી હતી. તેમ છતાં, પૃથ્વીરાજ ચવ્હાણના આ નિવેદનોથી ફરી એકવાર ‘ઑપરેશન સિંદૂર’ની સફળતા અને સેનાની ક્ષમતાને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel