ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિનેતા રણવીર સિંહને શીખો પહેરે તેવી પાઘડીમાં ધૂમ્રપાન કરતો બતાવવામાં આવ્યો હતો. આ તસવીરો સામે આવતા શીખ સમુદાયના કેટલાક વર્ગોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
આ મામલે આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું કે વાયરલ થઈ રહેલી તસવીરો ફિલ્મનો કોઈ પણ ભાગ નથી. તેમણે જણાવ્યું કે આ તસવીરો જાણબૂઝીને બદઇરાદે એડિટ કરીને ફેલાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે આવી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
આદિત્ય ધરે વધુમાં જણાવ્યું કે તેઓ શીખ સમુદાય પ્રત્યે ઊંડો સન્માન ધરાવે છે અને ફિલ્મ બનાવતી વખતે સમુદાયની ધાર્મિક લાગણીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ફિલ્મમાં કોઈપણ રીતે શીખ પરંપરા કે સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવો કોઈ દૃશ્ય સામેલ કરવામાં આવ્યો નથી.
તેમણે લોકોને અપીલ કરી કે તેઓ માત્ર ઓફિશિયલ કન્ટેન્ટ પર વિશ્વાસ રાખે અને સોશિયલ મીડિયા પર ફેલાતા AI જનરેટેડ અથવા એડિટેડ કન્ટેન્ટથી દૂર રહે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે આવી ખોટી તસવીરો ફિલ્મ અને ટીમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોને કારણે શીખ સમુદાયના કેટલાક જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો. હવે નિર્માતાની સ્પષ્ટતા બાદ આ વિવાદને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ છે, છતાં આ ઘટના સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને AI જનરેટેડ કન્ટેન્ટના જોખમોને ફરી એકવાર ઉજાગર કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel