પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે.
છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ભારે તારાજી સર્જાઈ છે. પ્રયાગરાજ, ફતેપુર, ઉન્નાવ, બદાયું, બરેલી સહિત આ વિસ્તારમાં ભારે પ્રાકૃતિક આપદાથી મોટી સંખ્યામાં મરણ થયાં છે. આ દરમિયાન મળેલ વિગતો અનુસાર આ તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને ભોગ બનનારના વારસદાર પરિવારને રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે.
પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને આમ શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૧૫ લાખ સહાય સંવેદના અર્પણ થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel