નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલધામ) તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ અને ઉપસ્થિત સંચાલક મંડળના સભ્યોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી કેડીસીસી બેંક ટેક્નોલોજી અપગ્રેડેશનના પરિણામે ગ્રાહકોને ઝડપી અને આધુનિક બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી. પટેલના નેતૃત્વ અને સંચાલક મંડળના દુરંદેશી માર્ગદર્શન હેઠળ બેંકમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપતાં ગ્રાહકોની સુવિધા અને સરળતા માટે અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ATMની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાથી દેશ-વિદેશમાંથી દર્શનાર્થે પધારતા ભક્તજનો ઉપરાંત વડતાલ તથા આસપાસના ગામોના નાગરિકોને પણ 24×7 નાણાં ઉપાડવાની સરળ અને ઝડપી સુવિધા મળશે.
કેડીસીસી બેંક દ્વારા ખાતેદારોને ATM-ડેબિટ કાર્ડની સુવિધા પહેલેથી જ આપવામાં આવે છે. હવે બેંકના પોતાના ATM મશીન કાર્યરત થતાં ગ્રાહકોને વધુ સરળતા મળશે તેમજ બેંકના ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચમાં પણ ઘટાડો થશે. આગામી દિવસોમાં બૃહદ ખેડા જિલ્લાના વધુ વિસ્તારોમાં કેડીસીસી બેંકના ATM સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ, સિનિયર ડિરેક્ટર ભદ્રેશભાઈ શાહ, ડિરેક્ટર રણજીતસિંહ વાઘેલા, બેંકના CEO અરવિંદભાઈ ઠક્કર, બેંકના અધિકારીઓ, ગામના અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel