ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ.
ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિ ઉજવાઈ ગઈ, જેમાં મહંત બાબુરામ ભગતનાં આયોજન સાથે સંતો, મહંતો અને અગ્રણીઓ જોડાયાં હતાં.
અષાઢ સુદ પાંચમ એટલે સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી છે. અહીંયા જગ્યાનાં પુનિતભાઈ ઘામેલિયાના સંકલન સાથે દાતાઓ, અગ્રણીઓ અને સેવકો દ્વારા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ.
પ્રારંભે દેવરાજભાઈ પટેલના ઘરેથી ધ્વજા રોહણ પ્રસંગે શોભાયાત્રા યોજાયેલ.
આ પ્રસંગે બટુક ભોજનના દાતા પ્રવિણભાઈ ખૂંટ રહ્યાં અને ગામ ધુમાડો બંધ રાખી સ્વર્ગસ્થ ભવાનભાઈ લાલજીભાઈ માવાણી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ લાભ મળ્યો.
ધનાબાપા સેવા સંસ્થાન પ્રમુખ ડાયાભાઈ કાકડિયા અને કાર્યકર્તાઓ તથા ગામ સમસ્ત સેવક પરિવાર દ્વારા પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ. અહીંયા ધોળા ઉપરાંત પંથકમાંથી પણ ભાવિકો જોડાયાં હતાં.