16 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા પર વિશેષ પ્રકાશ પ્રદર્શન કરીને ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026ની ઉજવણી કરવામાં આવી હતી, જે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વધતી ટેકનોલોજીકલ અને રાજનૈતિક મિત્રતાનું પ્રતિક માનવામાં આવી રહી છે. બુર્જ ખલીફા પર મોટા અક્ષરોમાં AI સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ભારતે વિશ્વનો સૌથી મોટો AI કાર્યક્રમ યોજ્યો હોવાનો ઉલ્લેખ સાથે 20 ફેબ્રુઆરીએ તેમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રદર્શન દ્વારા ભારતની ટેકનોલોજી, નવીનતા અને AI ક્ષેત્રમાં મજબૂત ઉપસ્થિતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી હતી, તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ થયો હતો.
The world’s tallest building celebrates #IndiaAIImpactSummit2026!
The iconic Burj Khalifa shines bright for the India AI Impact Summit 2026. A powerful symbol of the growing 🇮🇳🇦🇪 partnership in tech, innovation & AI. pic.twitter.com/JToX9RvqcO
— India in UAE (@IndembAbuDhabi) February 19, 2026
19 ફેબ્રુઆરીએ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં જણાવ્યું કે આ ટેકનોલોજીકલ ક્રાંતિ વિશ્વના ભવિષ્યને આકાર આપશે, પરંતુ તે ત્યારે જ સફળ થશે જ્યારે તેનો લોકશાહીકરણ થશે. તેમના જણાવ્યા મુજબ AI સામાન્ય લોકો માટે, સામાન્ય લોકો દ્વારા અને સામાન્ય લોકોના હિતમાં વિકસાવવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત AI થી ડરતું નથી, પરંતુ તેમાં પોતાનું ભાગ્ય અને ભવિષ્ય જુએ છે.
તેમણે AI ને વૈશ્વિક સાર્વજનિક ભલાઈ તરીકે વિકસાવવાનું આહ્વાન કર્યું અને જણાવ્યું કે ટેકનોલોજીનો લાભ સમગ્ર વિશ્વને ત્યારે જ મળશે જ્યારે જ્ઞાન અને નવીનતા વહેંચવામાં આવશે. પોતાના સંબોધનમાં તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે ભારત કેટલાક દેશો અને કંપનીઓથી અલગ રીતે વિચારે છે અને AI ને માત્ર વ્યૂહાત્મક સંપત્તિ તરીકે ગુપ્ત રીતે વિકસાવવાના અભિગમથી સહમત નથી. કાર્યક્રમ દરમિયાન અનેક વૈશ્વિક નેતાઓ, મોટી ટેક કંપનીઓના સ્થાપકો અને CEO હાજર રહ્યા હતા.
આ અવસરે પીએમ મોદીએ AI માટે ભારતનું ‘MANAV’ વિઝન રજૂ કર્યું. તેમણે સમજાવ્યું કે MANAV એટલે માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણ. તેમાં M એટલે નૈતિક પ્રણાલીઓ, જે સૂચવે છે કે AI નૈતિક માર્ગદર્શિકાઓ પર આધારિત હોવો જોઈએ; A એટલે જવાબદાર શાસન, એટલે પારદર્શક નિયમો અને મજબૂત દેખરેખ; N એટલે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, એટલે ડેટા પર હક તેને સર્જનારા લોકોનો રહે; બીજું A એટલે સુલભ અને સમાવેશી અભિગમ, એટલે AI કોઈ એકાધિકાર ન બને; અને V એટલે માન્ય અને કાયદેસર, એટલે AI પ્રણાલીઓ કાયદેસર અને ચકાસણીયોગ્ય હોવી જોઈએ. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતનું MANAV વિઝન 21મી સદીના AI સંચાલિત વિશ્વમાં માનવ સુખાકારી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom