દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રીતે હાજર રહેશે અને ન જ વકીલ મોકલશે. કેજરીવાલે આ નિર્ણયને ‘સત્યાગ્રહ’ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે, જેનાથી રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
અરજી ફગાવ્યા બાદ વધ્યો વિવાદ
આ સમગ્ર મામલો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ તાજેતરમાં કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં કેજરીવાલે માંગ કરી હતી કે એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસોની સુનાવણીમાંથી ન્યાયાધીશ પોતે અલગ થઈ જાય.
કોર્ટે આ અરજીને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે કેજરીવાલના આરોપો માત્ર ધારણાઓ અને અનુમાનો પર આધારિત છે અને તેની પાછળ કોઈ મજબૂત પુરાવા નથી. કોર્ટે નોંધ્યું કે “કોર્ટને પર્સેપ્શનનું થિયેટર બનાવી શકાતી નથી” અને કોઈ સ્પષ્ટ કારણ વગર કેસમાંથી દૂર થવું ખોટો સંદેશ આપશે.
‘સત્યાગ્રહ’નો રસ્તો પસંદ કર્યો
તાજેતરના પત્રમાં કેજરીવાલે જણાવ્યું છે કે તેમને આ કોર્ટમાંથી ન્યાય મળવાની આશા નથી. તેમણે કહ્યું કે તેઓ મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને ‘સત્યાગ્રહ’ કરશે અને કોર્ટની કાર્યવાહીમાંથી દૂર રહેશે.
કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે “ન્યાય માત્ર થવો જ નહીં જોઈએ, પરંતુ થતો દેખાવવો પણ જોઈએ.” તેમના અનુસાર, હાલની કાર્યવાહી આ સિદ્ધાંતને જાળવી શકતી નથી.
સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો પત્ર
કેજરીવાલે આ પત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કર્યો છે. તેમાં તેમણે ફરીથી તે જ આરોપો પુનરાવર્તિત કર્યા છે, જેનો જવાબ કોર્ટ પહેલેથી જ પોતાના વિસ્તૃત આદેશમાં આપી ચૂકી છે.
આ પગલાંને લઈને કાનૂની નિષ્ણાતો અને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
In all humility and with complete respect for judiciary, I have written the following letter to Justice Swarna Kanta Sharma, informing her that pursuing Gandhian principles of Satyagraha, it won’t be possible for me to pursue this case in her court, either in person or through a… pic.twitter.com/HmyOyNYug8
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 27, 2026
કાનૂની અને રાજકીય અસર પર ચર્ચા
કેજરીવાલના આ નિર્ણયથી એક તરફ ન્યાયિક પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ છે, તો બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ પણ આ મુદ્દો મહત્વનો બની ગયો છે. કોર્ટમાં હાજર ન રહેવાનો નિર્ણય કાનૂની રીતે શું અસર કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel