ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે.
જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ પક્ષના સંગઠનમાં પૂરતો સહયોગ ન મળતા તેમજ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો થી પ્રેરાઈ તેઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો.
જ્યોતિસભાઈ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓથી પ્રેરાઈ તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ ભાજપના કાર્યકર તરીકે સંગઠનને મજબૂત બનાવવા અને વિસ્તારના વિકાસ માટે કાર્ય કરશે.
આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા જ્યોતિસભાઈ તડવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પક્ષમાં જોડાતા શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ – શૈશવ રાવ (નર્મદા જિલ્લો)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel