કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં ફરી એકવાર નેતૃત્વ બદલાવને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તાત્કાલિક બેઠક માટે દિલ્હી બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ફરીથી સીએમ બદલાવની ચર્ચાઓ તેજ બની ગઈ છે. સરકારમાં અઢી-અઢી વર્ષના “પાવર શેરિંગ ફોર્મ્યુલા”ની અટકળો ફરી સક્રિય થઈ ગઈ છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતે પુષ્ટિ કરી છે કે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે તેમને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે, પરંતુ એજન્ડા વિશે તેમને કોઈ માહિતી નથી. બીજી તરફ ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ સંકેત આપ્યો છે કે પાર્ટી કહે તો તેઓ પણ દિલ્હી જશે, જોકે તેમણે નેતૃત્વ મુદ્દે કોઈ સીધી ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.
કર્ણાટકમાં મે 2023માં કોંગ્રેસ સરકાર બની હતી, જેમાં સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને ડી.કે. શિવકુમારને ઉપમુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. માનવામાં આવે છે કે ચૂંટણી જીતમાં શિવકુમારની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાના કારણે પાર્ટીએ તેમને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું, જ્યારે આંતરિક રીતે અઢી-અઢી વર્ષના પાવર શેરિંગ ફોર્મ્યુલા અંગે પણ ચર્ચાઓ ચાલી હતી.
#WATCH | Bengaluru: Karnataka Deputy CM DK Shivakumar says, "Of course, whenever the party calls, we have to go; otherwise, I will not go."
Regarding the ongoing speculation surrounding the Chief Minister's post, he says, "I don't know about it; I do not wish to comment on this.… pic.twitter.com/7HNJqgAkps
— ANI (@ANI) May 25, 2026
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટકમાં સીએમ બદલાવની અટકળો વારંવાર ઉઠતી રહી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે ક્યારેય આ મુદ્દે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. હવે ફરી દિલ્હી બેઠકના સમાચાર સામે આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને બંને મુખ્ય નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.
ડી.કે. શિવકુમારે અત્યાર સુધી ક્યારેય સ્પષ્ટ રીતે મુખ્યમંત્રી પદની દાવેદારી નકારી નથી. તેઓ સતત નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડતા રહ્યા છે, જેનાથી આંતરિક ચર્ચાઓને વધુ બળ મળતું રહ્યું છે. બીજી તરફ સિદ્ધારમૈયા પણ સરકારના સ્થિરતા પર ભાર મૂકતા દેખાયા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ માટે આ પરિસ્થિતિ નવી નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ નેતૃત્વ વિવાદને કારણે પાર્ટીને રાજકીય નુકસાન સહન કરવું પડ્યું હતું. ખાસ કરીને રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો સંઘર્ષ લાંબા સમય સુધી પાર્ટી માટે પડકારરૂપ રહ્યો હતો.
હવે કર્ણાટકમાં ફરીથી ઉઠેલા આ મુદ્દાને કારણે કોંગ્રેસ માટે આંતરિક સમતોલન જાળવવાનો પડકાર વધી ગયો છે. દિલ્હી બેઠક પછી સ્થિતિ સ્પષ્ટ થશે કે નહીં, તેના પર સમગ્ર રાજ્યની રાજકીય દિશા નિર્ભર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel