ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે.
તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જાનહાનિ થઈ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં નવસારી સહિત અન્ય સ્થાનોમાં ૫ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે. કેરળમાં પણ ભારે વરસાદમાં ૧૫ વ્યક્તિઓનાં મરણ થયાં છે.
ગુજરાતમાં ૫ વ્યક્તિઓ મરણ પામતાં રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૭૫ હજાર અને કેરળમાં ૧૫ વ્યક્તિઓનાં મરણ થતાં રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થઈ છે.
આમ, ગુજરાત અને કેરળમાં ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને તેઓના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સહાયતા અર્પણ કરવામાં આવી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel