ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે.
ભારતીય જનતા પક્ષ ભાવનગર જિલ્લા સંગઠનની જાહેરાત થતાં આ હોદ્દેદારોનો શુભકામના સમારોહ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિ સાથે ‘ભાવ કમલમ્’ કાર્યાલયમાં યોજાઈ ગયો.
ભાજપ કાર્યકર્તા હોદ્દેદારોને શુભકામના પાઠવતાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે, તેમ ભારપૂર્વક જણાવ્યું. તેઓએ હોદ્દેદાર એ વ્યવસ્થા હોવાનું જણાવી એક એક કાર્યકર્તા સંગઠન માટે મહત્વનો હોવાનું ઉમેર્યું.
ભાજપ સંગઠનમાં નવનિયુક્ત મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, પ્રચાર માધ્યમ અને વિવિધ મોરચા સહિતના હોદ્દેદારોને આ કાર્યક્રમમાં શુભેચ્છા સ્મૃતિ ભેટ સન્માન સાથે આવકારવામાં આવ્યાં.
આ સન્માન સમારોહમાં ભાજપ મોવડીઓ રાઘવજી મકવાણા, રઘુભાઈ આહિર, મહેન્દ્રસિંહ સરવૈયા, રસિકભાઈ ભીંગરાડિયા, કેશુભાઈ નાકરાણી તથા હર્ષદભાઈ દવેએ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી પક્ષના મળેલાં સ્થાનથી સમાજ અને રાષ્ટ્ર માટે કાર્યરત રહેવા જણાવ્યું.
સ્વાગત ઉદ્બોધન ભરતભાઈ મેર અને આભાર વિધિ રાજેશભાઈ ફાળકી દ્વારા થયેલ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને ધારાસભ્યો તેમનાં સત્રમાં હોવાથી સંદેશા પાઠવી સૌને શુભકામના આપેલ. સંચાલનમાં વિજયસિંહ ચૌહાણ રહ્યાં હતા.
ભાજપ પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદ્દેદારોના આવકાર સમારોહ બાદ અલગ બેઠકમાં પોતપોતાની જવાબદારી અને અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પ્રાસંગિક સંવાદ યોજાયો હતો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel