સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ‘કોકરોચ જનતા પાર્ટી’ નામ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સાંભળવામાં મજાક જેવી લાગતી આ પહેલ હવે એક મોટા ડિજિટલ સમુદાયમાં બદલાઈ ગઈ છે, જે પોતાની જાતને ‘બેરોજગાર’ અને ‘આળસુ’ યુવાનોનો અવાજ ગણાવે છે. આ કોઈ સત્તાવાર રીતે નોંધાયેલી રાજકીય પાર્ટી નથી, ન તો તેનું કોઈ ફિઝિકલ માળખું છે, છતાં સોશિયલ મીડિયા પર તેને અનુસરનારા લોકોની સંખ્યા 50 હજારથી વધુ થઈ ગઈ છે.
આ ડિજિટલ ગ્રુપની શરૂઆત ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થઈ હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન તેમણે બેરોજગાર યુવાનો, વકીલો અને પત્રકારો અંગે કઠોર શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે “કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે,” જે બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા જોવા મળી. આ નિવેદનના વિરોધ રૂપે મીમ્સ, ટ્રોલિંગ અને કટાક્ષ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’નો જન્મ થયો.
CJI Surya Kant says there are "parasites" attacking the system.
"There are youngsters like cockroaches, who don't get any employment and don't have any place in the profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some… pic.twitter.com/gwwOq8VcaK
— Live Law (@LiveLawIndia) May 15, 2026
શરૂઆતમાં માત્ર મજાક તરીકે ઉભી થયેલી આ પહેલ હવે એક ડિજિટલ પ્લેટફોર્મ બની ગઈ છે, જ્યાં તેવા યુવાનો જોડાઈ રહ્યા છે, જેઓ પોતાને સિસ્ટમ દ્વારા અવગણાયેલા માને છે. ગ્રુપે સભ્ય બનવા માટે કટાક્ષભરી શરતો પણ નક્કી કરી છે—બેરોજગાર હોવું, ઇન્ટરનેટ પર વધુ સમય પસાર કરવો અને સિસ્ટમ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવો. આ ભાષા અને અભિગમ યુવાનોમાં ‘સિસ્ટમે આપણને તરછોડી દીધા છે’ જેવી લાગણી મજબૂત બનાવે છે.
આ ગ્રુપ માત્ર મીમ્સ અને વ્યંગ સુધી સીમિત નથી, પરંતુ તે દેશની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ પર પણ સવાલ ઉઠાવે છે. તેમની પોસ્ટ્સમાં સરકાર, ટેક્સ સિસ્ટમ અને જાહેર નાણાંના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની રહી છે.
રાજકીય સમર્થન અને વધતો પ્રભાવ
સમય જતાં આ ડિજિટલ ટ્રેન્ડને કેટલાક વિપક્ષી નેતાઓનું સમર્થન મળતું જોવા મળ્યું છે. મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદએ આ ગ્રુપ સાથે જોડાવાની ઇચ્છા દર્શાવી છે, જ્યારે વકીલ પ્રશાંત ભૂષણએ તેને ‘સિસ્ટમથી નારાજ યુવાનોનો અવાજ’ ગણાવ્યો છે.
સોશિયલ મીડિયા પર સક્રિય સરકારવિરોધી અને લેફ્ટ જૂથો દ્વારા આ ટ્રેન્ડને વધુ પ્રોત્સાહન મળતું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આ કારણે હવે આ પહેલને માત્ર મજાક નહીં પરંતુ રાજકીય રંગ ધરાવતી ડિજિટલ અભિયાન તરીકે જોવામાં આવી રહી છે.
As the founding President of @CJP_2029, it is my great honour to welcome the brave and fierce @MahuaMoitra to our party.
Joy Bangla! https://t.co/ExyVPnxq86
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 17, 2026
મેનિફેસ્ટોમાં શું છે?
‘કોકરોચ જનતા પાર્ટી’નું મેનિફેસ્ટો પણ ચર્ચામાં છે. તેમાં દેશની અનેક સંસ્થાઓ અને વ્યવસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં નિવૃત્ત CJIને રાજ્યસભાની સીટ આપવાની પ્રથા પર પ્રશ્નો, ચૂંટણી પ્રક્રિયામાં ગડબડી અંગે કડક કાયદાની માંગ અને મોટા ઉદ્યોગપતિઓ તથા મીડિયા હાઉસ પર નિશાન સાધતી વાતો સામેલ છે.
મેનિફેસ્ટોમાં મહિલાઓને 50 ટકા રાજકીય પ્રતિનિધિત્વ આપવાની વાત, પક્ષાંતર કરનારા નેતાઓ પર કડક પ્રતિબંધ અને ચૂંટણી સુધારાઓ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દાઓ ઘણા અંશે દેશના રાજકીય ચર્ચામાં પહેલાથી જ ચાલી રહેલા નેરેટિવ સાથે જોડાયેલા છે.
It doesn’t matter if you belong to Congress, AAP, SP, TMC, or any other party. What matters is your support to save democracy and strengthening India. 🪳🇮🇳 https://t.co/dIwuLkZdd3
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 17, 2026
સ્થાપક કોણ?
આ ડિજિટલ પહેલ પાછળ અભિજીત દિપકે નામનો વ્યક્તિ હોવાનું કહેવામાં આવે છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના રહેવાસી અને બોસ્ટન યુનિવર્સિટીમાં ભણેલા અભિજીત દિપકે અગાઉ Aam Aadmi Party સાથે સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર તરીકે જોડાયેલા રહ્યા હોવાનું જણાવાય છે.
દિપકે મીમ પોલિટિક્સને યુવાનો સુધી પહોંચવાનો અસરકારક માધ્યમ ગણાવ્યું છે. અગાઉ તેઓએ અરવિંદ કેજરીવાલના પ્રચાર માટે સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં કામ કર્યું હોવાનું પણ જાણવા મળે છે. આ કારણે ‘કોકરોચ જનતા પાર્ટી’ને લઈને રાજકીય એજન્ડા અંગે ચર્ચાઓ તેજ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel