ભારત સરકારે મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પુરવઠાને અવિરત રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ગેસ સપ્લાય ઉપર પડતા આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે ભારત પાસે LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) અને LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પૂરતો ભંડાર છે અને કોઈ અછત થવાની શક્યતા નથી.
પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સુજાતા શર્માએ કહ્યું કે હાલમાં ભારતમાં દૈનિક LPG બુકિંગ વધીને 88 લાખ પર પહોંચી ગયું છે, જ્યારે ગભરાવાની જરૂર નથી. મંત્રાલયે જણાવ્યું કે, ગેસ સપ્લાય સતત જાળવવા માટે 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે અને PNG અને CNG માટે પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.
Delhi: Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, Sujata Sharma says, "There have been complaints from several sources that cylinder bookings are not being processed. I would like to clarify again that there is a minimum gap of 25 days… pic.twitter.com/FNPamnsU4F
— IANS (@ians_india) March 14, 2026
મધ્યપૂર્વની યુદ્ધપરિસ્થિતિને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પર પડેલા દબાણનો પ્રભાવ ગુજરાત સહિતના ઉદ્યોગો અને ઘરેલુ ગ્રાહકો પર ન પડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંકલિત કવાયત કરવામાં આવી છે. આ હેઠળ ભારતમાં કુલ 22 ટેન્કરો ઈરાની અખાતમાંથી આવી રહ્યા છે, જેમાં 6 એલપીજી, 1 LNG, 4 ક્રૂડ ઓઈલ અને 1 કેમિકલ ટેન્કર સામેલ છે. આ ટેન્કરોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવા માટે નૌકાદળ અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ થઈ રહ્યો છે.
Delhi: Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, Sujata Sharma says, "Regarding LPG supply, I would like to say that it is being managed well given the geopolitical situation. No dry-out has been reported so far. Through you, I would like to… pic.twitter.com/rBXTeYYICz
— IANS (@ians_india) March 14, 2026
વિવિધ મંત્રાલયોના સંયુક્ત પ્રયાસો હેઠળ હોર્મુઝ જળમાર્ગના વિપરિત પરિસ્થિતિ વચ્ચે ભારતીય જહાજો શિવાલિક અને નંદા દેવી હોર્મુઝ પાર કરી ચૂક્યા છે અને તે 16 અને 17 માર્ચે ભારતના મુદ્રા અથવા કંડલા પોર્ટ પર પહોંચવાની સંભાવના ધરાવે છે. આ પગલાં ભારતના ગેસ-આધારિત ઉદ્યોગો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઘરેલુ PNG ગ્રાહકોને સતત અને વિશ્વસનીય સપ્લાય સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
#WATCH | Delhi: MEA spokesperson Randhir Jaiswal says, "Some ships destined for India have been able to cross through the Straits of Hormuz. Two Indian ships, Shivalik and Nanda Devi, crossed the Strait of Hormuz and are now headed to ports in India. Each of the ships is carrying… pic.twitter.com/6IJZwX91Rz
— ANI (@ANI) March 14, 2026
મંત્રાલયે સામાન્ય લોકોને અપીલ કરી છે કે, ફક્ત સત્તાવાર ચેનલ મારફતે જ LPG અને PNG માટે બુકિંગ કરવી જોઈએ અને ગભરાઈને સિલિન્ડર સ્ટોકિંગ અથવા કાળાબજારી ન કરે. તે લોકો કે કંપનીઓ જે ગેરકાયદેસર રીતે ગેસ સ્ટોક કરે છે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે PNG માટે નવા કનેક્શન અને CNG સ્ટેશનોના વિસ્તરણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
#WATCH | Delhi: MEA spokesperson Randhir Jaiswal says, "India has continuously emphasised that one of its priorities has been the need to ensure unimpeded transit of goods and energy. We have also called for the avoidance of targeting civilian infrastructure, including energy… pic.twitter.com/S3Avu7mLYx
— ANI (@ANI) March 14, 2026
ગુજરાતમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ PNG ગ્રાહકો છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ઊર્જા વિભાગ દ્વારા ગેસ પુરવઠાની સતત મોનિટરીંગ થઇ રહી છે, જેનાથી નાગરિકો અને ઉદ્યોગોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે. કેન્દ્ર સરકાર દ્વારા LPG અને LNGને આવશ્યક ચીજવસ્તુ ધારો-1955 હેઠળ નિયમિત બનાવવામાં આવ્યું છે, અને એક વ્યક્તિ દ્વારા શહેરમાં બે સિલિન્ડર વચ્ચે 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો અંતર જાળવવા સુચના આપવામાં આવી છે.
આ પગલાંઓ દ્વારા ગુજરાત અને સમગ્ર દેશમાં ગેસ પુરવઠો અવિરત રહેશે, અને નાગરિકોને કોઈપણ પ્રકારની ખોટી માહિતીથી ગભરાવાની જરૂર નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel