ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે હેતુસર પ્રથમવાર સમગ્ર રાજ્યમાં “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫” યોજાઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સિવાયના તમામ ૨૯ જિલ્લાઓમાં આ સ્પર્ધા યોજાશે.
પાટણ જિલ્લામાં યોજાનારી સ્પર્ધા સંદર્ભે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે ગણેશ ઉત્સવ દરમ્યાન જિલ્લામાં ઉભા થનારા વિવિધ પંડાલોમાંથી શ્રેષ્ઠ પંડાલોની પસંદગી કરવામાં આવશે. પસંદગી દરમ્યાન પંડાલનું શણગાર, સામાજિક સંદેશ, ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી, “ઓપરેશન સિંદૂર” જેવા દેશભક્તિ-સ્વદેશી વિષય, પંડાલનું સ્થાન તેમજ આયોજિત સામાજિક પ્રવૃત્તિઓ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે.
જિલ્લા સ્તરે મૂલ્યાંકન સમિતિ પંડાલોની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે અને શ્રેષ્ઠ પંડાલના ફોટા-વિડીયો સાથેનો અહેવાલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે.
પુરસ્કારો
પ્રથમ ક્રમે વિજેતા પંડાલ : રૂ.૫,૦૦,૦૦૦/-
દ્વિતીય ક્રમે : રૂ.૩,૦૦,૦૦૦/-
તૃતીય ક્રમે : રૂ.૧,૫૦,૦૦૦/-
અન્ય પાંચ પંડાલ : પ્રોત્સાહન પેટે રૂ.૧,૦૦,૦૦૦/- પ્રતિ પંડાલ
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક પંડાલોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, જિલ્લા સેવા સદન – બ્લોક-૨, બીજો માળ, પાટણ ખાતે ફોર્મ મેળવી ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ સાંજે ૫ વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
વિજેતા પંડાલોની જાહેરાત ગણેશોત્સવ દરમ્યાન કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel