ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ પેટાચૂંટણી માટે Bharatiya Janata Party (BJP)એ પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ ગોવિંદભાઈ પરમારના નામની જાહેરાત કરી છે. હર્ષદ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે. ગોવિંદ પરમારનું તાજેતરમાં માંદગીને કારણે અવસાન થયું હતું, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી અને હવે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
भाजपा की केन्द्रीय चुनाव समिति ने गुजरात में होने वाले विधानसभा उप-चुनाव 2026 के लिए 111—उमरेठ विधानसभा क्षेत्र से श्री हर्षदभाई गोविंदभाई परमार को उम्मीदवार बनाने की स्वीकृति प्रदान की। pic.twitter.com/YZvteacHpY
— BJP Gujarat (@BJP4Gujarat) March 30, 2026
ચૂંટણી કાર્યક્રમ અનુસાર આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે, જ્યારે 7 એપ્રિલે ફોર્મોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 9 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. મતદાન 23 એપ્રિલે યોજાશે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ઉમરેઠ પેટાચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ એમ બે તાલુકાના કુલ 49 ગ્રામ પંચાયત અને 3 નગરપાલિકાનો સમાવેશ થાય છે. મતદાન સુધારણા કાર્યક્રમ બાદ યોજાતી આ પહેલી ચૂંટણી હોવાને કારણે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે જિલ્લા સ્તરે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ. પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી. પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે. ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે 19 નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે.
આ પેટાચૂંટણી સ્થાનિક રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે આગામી સમયમાં પ્રદેશના રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. ભાજપે હર્ષદ પરમારને મેદાનમાં ઉતારતા રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel