વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સંકલ્પ અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી પ્રારંભ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેવા સંકલ્પ યાત્રા આજે નડિયાદના પીપલગ ચોકડી ખાતે પહોંચી હતી. કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડો. મનિષાબેન વકીલ તથા રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાની આગેવાનીમાં આવેલા યાત્રીઓનું નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષ પટેલ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સફાઈ કામદારોને બિરદાવી તેમના સેવાભાવની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ સેવા સંકલ્પ બાઈક યાત્રા કમળા ચોકડી, નડિયાદ ખાતે પહોંચી હતી. અહીં મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
કમળા ચોકડી ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી ડો. મનિષાબેન વકીલ અને રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૌએ વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો.
સેવા સંકલ્પ યાત્રા આગળ વધીને મહુધા ડાકોર ચોકડી ખાતે પહોંચી હતી, જ્યાં ઢોલ-નગારાંના નાદ સાથે યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કઠલાલ અને કપડવંજ ખાતે કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની આગેવાનીમાં સેવા સંકલ્પ યાત્રાનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ કાર્યકરો અને આગેવાનો દ્વારા પુષ્પવર્ષા તથા ઢોલ-નગારાં સાથે યાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
યાત્રાના અંતિમ તબક્કામાં કપડવંજ ખાતે માણેક શેઠાણીની વાડી મુકામે સેવા સંકલ્પ યાત્રીઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર સ્વાગત કાર્યક્રમ દરમિયાન નડિયાદના ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગ બારોટ, મહુધા નગરપાલિકાના પ્રમુખ રૂપેશ રાઠોડ, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ સેજલ પટેલ, ઉપપ્રમુખ સ્નેહા ઓઝા, કારોબારી ચેરમેન નરેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ, અગ્રણી વિવેક પટેલ, કનુભાઈ ડાભી, દીપકભાઈ મિસ્ત્રી, જીગ્નેશભાઈ પટેલ, સ્મિત પટેલ સહિતના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૨૫ વર્ષની જનસેવાના સંકલ્પને જનજન સુધી પહોંચાડતી આ સેવા સંકલ્પ યાત્રાએ ખેડા જિલ્લામાં સેવા, સ્વચ્છતા, પર્યાવરણ અને વિકસિત ભારતના સંકલ્પનો સંદેશ પ્રસરાવ્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel