ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને શુક્રવારે કાર્યક્રમ યોજાશે.
વૈશ્વિકકક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રિય વિચારક અને માર્ગદર્શક એટલે ભાવનગરનાં વિનુભાઈ ગાંધી. ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને આગામી શુક્રવાર તા.૧૭ સવારે ૧૦ કલાકથી યોજાનાર છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા આ અભિનવ સન્માન સમારોહમાં ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ સુરાણી (ધારુકાવાળા) અને લોકભારતીના વડા અરુણભાઈ દવે (લોકવૈજ્ઞાનિક) દ્વારા દીપ પ્રાગટ્ય થશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, કલ્પસર સહયોગ સમિતિના સહસંયોજક કમલનયનભાઈ સોજીત્રા, ગીરગંગા પરિવારના વડા દિલીપભાઈ સખિયા તથા સમાજિક અગ્રણી અનુભાઈ તેજાણી રહેશે.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમના સંકલનમાં લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારિ અને કલ્પસર સમિતિના સંયોજક પરષોત્તમભાઈ કમાણી રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel