ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ધર્મ કે મતના વ્યક્તિને પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. આ મહત્વપૂર્ણ નિર્ણય રવિવારે (25 જાન્યુઆરી) યોજાયેલી શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.
Uttarakhand | Non-Hindus have been prohibited from entering Gangotri Dham in Uttarakhand. The decision was taken unanimously during a meeting of the Shri Gangotri Temple Committee held on Sunday. This restriction will apply not only to Gangotri Dham but also to Mukhba, the winter…
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2026
માત્ર ગંગોત્રી ધામ જ નહીં, પરંતુ મા ગંગાના શીતકાલીન નિવાસસ્થાન મુખબામાં પણ આ પ્રતિબંધ લાગુ રહેશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે સમિતિના નિર્ણય અનુસાર ધામ અને મુખબા બંને સ્થળોએ બિન-હિંદુઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે અને તેનો કડક અમલ કરવામાં આવશે.
આ દરમિયાન શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પણ સમાન દિશામાં પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે આવનારી બોર્ડ બેઠકમાં બદ્રીનાથ અને કેદારનાથ સહિત મંદિર સમિતિ હેઠળ આવતા તમામ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ નિર્ણયોથી રાજ્યમાં ધાર્મિક પરંપરા અને આસ્થાના રક્ષણ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel