જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
શું છે સમગ્ર વિવાદ?
એક કાર્યક્રમ દરમિયાન પ્રકાશ રાજે રામાયણનો ઉલ્લેખ મજાકીય અને કાલ્પનિક અંદાજમાં કર્યો હતો. તેમણે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના વનવાસ સમયની વાર્તાને આધુનિક મુદ્દાઓ સાથે જોડીને રજૂ કરી હતી.
તેમણે વાર્તામાં GST અને નોર્થ-સાઉથ ડિબેટ જેવા મુદ્દાઓ ઉમેરીને કહ્યું કે, ‘રાવણ અને શૂર્પણખા આવ્યા અને 2000 ડૉલરનું બિલ આપ્યું, જેમાં GST પણ સામેલ હતું.’ આ પ્રકારની રજૂઆતને લઈને ઘણા લોકોમાં નારાજગી જોવા મળી છે.
प्रकाश राज पर रामायण अपमान करने के आरोप में आपराधिक मामला दर्ज!
केरल साहित्य महोत्सव में अभिनेता प्रकाश राज ने रामायण का मजाक उड़ाते हुए कहा कि राम जी उत्तर भारतीय थे, रावण दक्षिण के थे और फल चुराने के बाद दोनों दुश्मन हो गए।
उन्होंने कहा कि शूर्पणखा से 2000 डॉलर के GST बिल को… pic.twitter.com/16K9fNL00g
— One India News (@oneindianewscom) April 17, 2026
ભાષા અને ખાણી-પીણી મુદ્દે નિવેદન
પ્રકાશ રાજે માત્ર ધાર્મિક મુદ્દા પર જ નહીં પરંતુ ભાષા અને ખાણી-પીણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાંથી દક્ષિણમાં આવતા લોકો હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ ન કરે.
સાથે જ તેમણે ‘બીફ ફેસ્ટિવલ’ ઉજવવાની વાત કરતા જણાવ્યું કે ખાણી-પીણી વ્યક્તિગત સ્વતંત્રતા છે અને તેમાં કોઈ દખલ ન કરવો જોઈએ.
સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા
વિડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘણા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે અભિનેતાએ હિન્દુ આસ્થાનો અપમાન કર્યો છે.
આ વિવાદ બાદ કેટલાક લોકો વારાણસી ફિલ્મમાંથી તેમને દૂર કરવાની માંગ પણ કરી રહ્યા છે.
કાયદાકીય મુશ્કેલીઓ વધવાની શક્યતા
આ સમગ્ર મામલાને પગલે પ્રકાશ રાજ સામે કેસ નોંધાતા તેમની મુશ્કેલીઓ વધી શકે છે. જો તપાસમાં આરોપો સાબિત થાય તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
વ્યક્તિગત જીવન પણ રહ્યું ચર્ચામાં
નોંધનીય છે કે માર્ચ 2026માં તેમની માતા સ્વર્ણલતા રાજનું નિધન થયું હતું, જે સમયે તેમની હાજરી પણ ચર્ચામાં રહી હતી. હાલ તેઓ ડકૈત ફિલ્મમાં જોવા મળ્યા હતા, પરંતુ આ નવા વિવાદને કારણે તેમના કારકિર્દી પર અસર થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel