આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ ચઢ્ઢાએ એક વિડિયો જાહેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, “શું જનતાના મુદ્દા ઉઠાવવો ગુનો છે?” સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સંસદમાં જ્યારે પણ તેમને બોલવાની તક મળે છે, ત્યારે તેઓ સામાન્ય લોકોના મુદ્દાઓ ઉઠાવે છે — ભલે તે વિષયો સામાન્ય રીતે ચર્ચામાં આવતા ન હોય. ચઢ્ઢાએ પોતાના આક્રમક અંદાજમાં કહ્યું, “મારી ખામોશીને મારી હાર ન સમજતા, હું એ દરિયો છું જે સમય આવે ત્યારે સૈલાબ બને છે.”
राज्यसभा में उपनेता के पद से हटाए जाने के बाद राघव चड्डा (@raghav_chadha) का पहला रिएक्शन आया सामने,
कहा- 'खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ'#RaghavChadha #AAP #DeputyLeader #SilenceNotDefeat #RaghavReaction
[ Raghav Chadha, AAP, Deputy Leader Removed, Emotional Message,… pic.twitter.com/qMt6pz7iCe
— One India News (@oneindianewscom) April 3, 2026
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી હટાવવાની માંગ કરી. સાથે જ પાર્ટીએ એવી પણ માંગ કરી છે કે તેમને પાર્ટીના ક્વોટામાંથી બોલવાનો સમય ન અપાય. તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલને નવા ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી બગડ્યા છે. માર્ચ 2024માં કેજરીવાલની ધરપકડ દરમિયાન ચઢ્ઢા વિદેશમાં હતા, જેને લઈને પાર્ટીમાં અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ કેજરીવાલ અને અન્ય નેતાઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે પણ ચઢ્ઢાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
તે ઉપરાંત, ચઢ્ઢાને પાર્ટીના ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક જવાબદારીઓમાંથી પણ ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. AAPના કેટલાક નેતાઓનું માનવું છે કે તેઓ હવે સંસદમાં પાર્ટીની લાઇનને મજબૂતીથી રજૂ કરી શકતા નથી.
ચઢ્ઢાએ પોતાના વિડિયોમાં મધ્યમ વર્ગ પર વધતા ટેક્સનો ભાર, મોબાઇલ ડેટા એક્સપાયરી અને એરપોર્ટ પર વધારાના બેગેજ ચાર્જ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે સંકેત આપ્યો કે તેઓ સામાન્ય લોકોની સમસ્યાઓ પર અવાજ ઉઠાવી રહ્યા છે, જે કદાચ પાર્ટીના રાજકીય સ્ટેન્ડથી અલગ છે.
આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખતા એવું લાગી રહ્યું છે કે AAPમાં હવે આંતરિક વિખવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજકીય નિષ્ણાતો માને છે કે રાઘવ ચઢ્ઢાનું પાર્ટીમાં સ્થાન હવે જોખમમાં છે અને આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel