ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો ધ્વજ ભાજપના કરોડો કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી સીંચાયેલો છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને વરેલી ભારતીય જનતા પાર્ટી આજે જે ભવ્ય સ્વરૂપ ધારણ કરી શકી છે, તેનો સંપૂર્ણ શ્રેય પક્ષના પાયાના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષને જાય છે.
આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને પક્ષની વિચારધારાને આગળ વધારવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ પરિવારના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભાજપ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel