બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. સમ્રાટ ચૌધરી એ પટનાના લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈન દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે ભારતીય જનતા પાર્ટી નો કોઈ નેતા મુખ્યમંત્રી બન્યા છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં રાજકીય જગતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી, જે આ ઘટનાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
बिहार में सम्राट युग का युग शुभांरभ
सम्राट चौधरी ने बिहार के 24वें मुख्यमंत्री पद की शपथ ली।#Bihar #SamratEra #SamratChaudhary #BiharCM #24thCM
[ Samrat Chaudhary, Bihar Chief Minister, Oath Taking, Samrat Yug, 24th CM ] pic.twitter.com/5CoQbHFvOq
— One India News (@oneindianewscom) April 15, 2026
નાયબ મુખ્યમંત્રી તરીકે બે નેતાઓએ લીધા શપથ
સમ્રાટ ચૌધરીની સાથે જનતા દળ યુનાઇટેડ ના ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ એ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હાલના તબક્કે માત્ર આ ત્રણ નેતાઓએ જ શપથ લીધા છે, જેનાથી આગામી દિવસોમાં મંત્રિમંડળના વિસ્તરણની શક્યતા જણાઈ રહી છે.
#WATCH Patna, Bihar: Janata Dal (United) leader Bijendra Prasad Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/OhgshLUgbW
— ANI (@ANI) April 15, 2026
સમ્રાટ ચૌધરીની રાજકીય સફર
સમ્રાટ ચૌધરીની રાજકીય સફર બહુ જ રસપ્રદ અને પરિવર્તનશીલ રહી છે. તેઓએ પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેમણે સમતા પાર્ટીથી રાજકારણ શરૂ કર્યું, ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાયા અને મંત્રી તરીકે સેવા આપી.
પછી તેઓ 2014માં જનતા દળ યુનાઇટેડ માં જોડાયા અને જીતન રામ માંઝી ની સરકારમાં શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી બન્યા. વર્ષ 2018માં તેઓ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા, જ્યાંથી તેમની રાજકીય કારકિર્દીને નવી દિશા મળી.
ભાજપમાં ઉદય અને રાજકીય ઓળખ
2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ વિધાન પરિષદમાં પહોંચ્યા.
2022માં જ્યારે નીતીશ કુમાર એ ભાજપ સાથેનો ગઠબંધન તોડી રાષ્ટ્રીય જનતા દળ સાથે સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને વિપક્ષના નેતા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા મળી.
2023માં તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ NDAમાં વાપસી પછી તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિપક્ષના મુખ્ય નિશાના પર રહ્યા હતા, છતાં NDAની વાપસી સાથે તેમની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel