વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા રહેલી છે. જાળિયા ગામે કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું.
પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે ઉત્સવો જોડાયેલા છે, જેમાં વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની પણ અનોખી લોકપરંપરા રહેલી છે.
તાજેતરમાં ઘણાં ભાગમાં ભારે વરસાદ રહ્યો છે, તેમજ કેટલાંક ભાગમાં હજુ પૂરતો વરસાદ નથી. આ સ્થિતિમાં વરસાદને લાવવા માટે ગામડાઓમાં આપણી આ લોકપરંપરા મુજબ નાનકડી કન્યાઓ માટીનાં ઢૂંઢિયાદેવ નિર્માણ કરી પાટલા પર બેસાડીને માથે મૂકી ઘરે ઘરે ગીતો ગાતાં ગાતાં લઈ જાય છે.
ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામે આ દિવસોમાં કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું, જે જોવાં અને જાણવાં મળ્યું. આ ઢૂંઢિયાંદેવ જે ઘરે જાય ત્યાં બહેનો તેના પર પાણી રેડે છે અને સારા વરસાદની કામના કરે છે. વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની લોકપરંપરાનું અહીંયા દર્શન થયું છે. આ પરંપરા અને સંસ્કૃતિ હવે આવતાં દિવસોમાં જોવા નહી મળે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel