અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં રસોઈ ગેસ સહિત કોઈપણ પ્રકારના ઇંધણની અછત નથી.
સોમવારે (16 માર્ચ) સંસદમાં વિપક્ષે LPG ગેસના મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગેસ સપ્લાય અંગે ચિંતા વ્યક્ત કરતા આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ તેવી માંગણી કરી. જોકે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તેમને વચ્ચે અટકાવતાં જણાવ્યું કે સરકાર પહેલેથી જ આ મુદ્દે સ્પષ્ટતા આપી ચૂકી છે.
જે.પી. નડ્ડાનો કોંગ્રેસ પર પ્રહાર
આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યસભામાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી કટોકટીના સમયમાં પણ રાજકારણ કરવાનું બંધ કરતી નથી. નડ્ડાએ કહ્યું કે હાલની પરિસ્થિતિ ભારતના કારણે ઉભી થઈ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પહેલેથી જ સંસદમાં આ મુદ્દે વિગતવાર માહિતી આપી ચૂક્યા છે.
નડ્ડાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે પાર્ટીના કેટલાક નેતાઓ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરીને જનતામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એક કોંગ્રેસ નેતા ગેસ સિલિન્ડરનો જથ્થો એકત્ર કરતા ઝડપાયા છે અને તેઓ સંગ્રહખોરી દ્વારા લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
"A Congress leader has been caught hoarding cylinders. They are inciting the peaceful people of the country…It is sad that the Opposition, particularly the Congress, doesn't stop doing politics even during difficult times…This crisis is not due to India," says Union Minister… pic.twitter.com/i5KyUInLga
— ANI (@ANI) March 16, 2026
LPG અને ઇંધણ પુરવઠા અંગે સરકારનું સ્પષ્ટીકરણ
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશભરમાં LPG રિફિલ માટેની બુકિંગમાં ઘટાડો થયો છે. આંકડા મુજબ 13 માર્ચે 8.88 મિલિયન બુકિંગ હતી જે હવે ઘટીને લગભગ 7.7 મિલિયન રહી છે. સરકારના જણાવ્યા મુજબ પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ અછત ઉભી થવાની શક્યતા નથી.
અમેરિકા–ઈરાન સંઘર્ષનો પ્રભાવ
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કેટલીક મર્યાદાઓ લાગુ કરી છે, જે વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. આ માર્ગથી ભારત સહિત અનેક દેશોના તેલ અને ગેસના જહાજો પસાર થાય છે. જોકે ઈરાને તાજેતરમાં બે ભારતીય જહાજોને માર્ગ આપ્યો છે અને તે ટૂંક સમયમાં ભારત પહોંચવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel