રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ભાવ કમલમ્’ પરિસરમાં યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની વાત થઈ.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ‘ભાવ કમલમ્’ પરિસરમાં કાર્યકર્તા સંમેલન યોજાઈ ગયું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, સાબરકાંઠા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.
મુખ્ય વક્તા તરીકે અમોહભાઈ શાહ દ્વારા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી અને સંઘ પરિવારના તત્કાલિન અભિયાન અને અભિગમનાં ઉલ્લેખ સાથે ઉદબોધન અપાયું. અહીંયા રાષ્ટ્રસેવા માટે પાયામાં રહેલ જનસંઘથી ભાજપના શિખર સુધી રાષ્ટ્રસેવાનો અવિરત રહેલ સંકલ્પ અને ફળશ્રુતિના ઉલ્લેખ થયાં.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ભાવ કમલમ્’ પરિસરમાં રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ૧૨૫મી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. અહીંયા યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની વાત થઈ. આ પ્રસંગે ભાજપ સંગઠન હોદ્દેદારોના સંકલન સાથે અહીંયા ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel