નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે.
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા સંગઠનો, ધાર્મિક આગેવાનો, આશ્રમવાસીઓ તથા યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીઓ વચ્ચે સમન્વય સાધી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
પરિક્રમા દરમિયાન મંદિર ટ્રસ્ટો, સેવાસમિતિઓ અને એનજીઓના સ્વયંસેવકો દ્વારા રેંગણ ઘાટ, શહેરાવ ઘાટ, રામપુરા ઘાટ તેમજ તિલકવાડ ઘાટ સહિતના માર્ગો પર નિયમિત રીતે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુવિધા માટે બેબી ફીડિંગ રૂમ, કપડા બદલવાના રૂમ, વિશ્રામ મંડપો તથા નિયત સંખ્યામાં ડસ્ટબિનની વ્યવસ્થા સાથે વ્યાપક સ્વચ્છતા અને સેનીટેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. અને યોગ્ય સ્થળે કચરો નાંખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને પરિક્રમાવાસીઓ પણ કચરાપેટીનો ઉપયોગ કરીને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.
તિલકવાડાના ટેકરા કામસોની શ્રીમતી રેખાબેન તડવીએ જણાવ્યું હતું કે, આર.કે. ડેકોરેશન સ્ટાફના ૧૦ સભ્યોના ગૃપ દ્વારા રોજિંદી સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે છે, જેના પરિણામે પરિક્રમાર્થીઓ પણ પ્રેરાઈ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને છે. આ રીતે જિલ્લા વહિવટી તંત્ર અને સમાજના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel