ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખે અને જરૂર પડે ત્યારે જડબાતોડ જવાબ આપશે.
પ્રવક્તાએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે પણ હવે સ્વીકારવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદને પોતાની રાજકીય નીતિ તરીકે ઉપયોગ કરે છે. ભારત તેની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને આતંકવાદ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.
#WATCH | Delhi | On Bangladesh Foreign Minister Khalilur Rahman's statement following BJP's win in West Bengal elections, MEA Spokesperson Randhir Jaiswal says, "We have seen comments of this nature being made in the last several days. These comments must be seen in the context… pic.twitter.com/VmKqDQr9rC
— ANI (@ANI) May 7, 2026
બાંગ્લાદેશ મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાનના નિવેદન પર પણ ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું કે મુખ્ય મુદ્દો રાજકીય ટિપ્પણીઓ નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાનો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના રિપેટ્રિએશન માટે બાંગ્લાદેશનો સહકાર અનિવાર્ય છે, પરંતુ હાલ તે પૂરતો મળી રહ્યો નથી. ભારતે બાંગ્લાદેશને વિનંતી કરી છે કે તે રાજનીતિ છોડીને પોતાના નાગરિકોને પરત બોલાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે.
પેન્ડિંગ કેસોના ચોંકાવનારા આંકડા
ભારતે આ મુદ્દે આંકડાકીય માહિતી પણ જાહેર કરી છે. હાલમાં 2,860થી વધુ કેસો એવા છે જેમાં નાગરિકતાની ચકાસણી માટે બાંગ્લાદેશની જવાબદારી છે, પરંતુ તે પેન્ડિંગ છે. તેમાંના ઘણા કેસો 5 વર્ષથી વધુ સમયથી અટવાયેલા છે.
આ વિલંબને કારણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવાની પ્રક્રિયા ધીમી પડી રહી છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ આ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરશે જેથી બંને દેશો વચ્ચેના મુદ્દાઓ સરળતાથી ઉકેલી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel