પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આ યોજના દ્વારા લાખો શેરી વિક્રેતાઓને જીવનમાં પ્રથમ વખત બેંકિંગ વ્યવસ્થાથી જોડાવાની તક મળી છે અને હવે તેઓ સરળતાથી લોન મેળવી પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું, જેના કારણે દેશભરના ફૂટપાથ વેપારીઓ અને નાનાં વેપારીઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ મળશે. પીએમ મોદીએ આ સાથે જ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમજ કુલ ચાર ટ્રેનોને લીલી ઝંડી આપી, જેના કારણે કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
#WATCH | त्रिवेंद्रम, केरल | प्रधानमंत्री मोदी ने त्रिवेंद्रम में विभिन्न विकास परियोजनाओं की आधारशिला रखी, उद्घाटन किया और झंडी दिखाकर रवाना किया, साथ ही पीएम स्वनिधि क्रेडिट कार्ड लॉन्च किया और एक लाख लाभार्थियों को पीएम स्वनिधि ऋण वितरित किए।#PMModi #Kerala #PMSVANidhi… pic.twitter.com/8pIYJXViXg
— One India News (@oneindianewscom) January 23, 2026
જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે આજે કેન્દ્ર સરકારના પ્રયાસોથી કેરળના વિકાસને નવી ગતિ મળી છે. તેમણે કહ્યું કે રેલ કનેક્ટિવિટી મજબૂત થવાથી રાજ્યના લોકો માટે મુસાફરી સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. તિરુવનંતપુરમને દેશના મુખ્ય સ્ટાર્ટઅપ અને સ્માર્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. પીએમ મોદીએ ઉમેર્યું કે આજે કેરળથી ગરીબોના કલ્યાણ સાથે જોડાયેલી એક મોટી પહેલ સમગ્ર દેશ માટે શરૂ થઈ રહી છે, જે સામાજિક અને આર્થિક સમાવીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
#WATCH | त्रिवेंद्रम, केरल | प्रधानमंत्री मोदी ने तीन नई अमृत भारत एक्सप्रेस ट्रेनों को हरी झंडी दिखाकर रवाना किया – नागरकोइल-मंगलुरु, त्रिवेंद्रम-तांब्रम, त्रिवेंद्रम-चेरलपल्ली, साथ ही त्रिशूर-गुरुवायूर के बीच नई पैसेंजर ट्रेन भी शुरू की।#PMModi #AmritBharat #Kerala #NewTrains… pic.twitter.com/AnS2fbKwKX
— One India News (@oneindianewscom) January 23, 2026
પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ વિકસિત ભારતના લક્ષ્ય માટે એકજૂટ થઈને કામ કરી રહ્યો છે અને શહેરો આ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા 11 વર્ષોમાં કેન્દ્ર સરકારે શહેરી માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેના પરિણામે આવાસ, પરિવહન અને આરોગ્યસંભાળ ક્ષેત્રે મોટો ફેરફાર આવ્યો છે. તેમણે જણાવ્યું કે NDA સરકાર કનેક્ટિવિટી, વિજ્ઞાન, નવીનતા અને આરોગ્યસંભાળમાં સતત રોકાણ કરી રહી છે. કેરળમાં CSIR ઇનોવેશન હબનું ઉદ્ઘાટન તેમજ મેડિકલ કોલેજમાં રેડિયો સર્જરી સેન્ટરની શરૂઆત રાજ્યને વિજ્ઞાન, નવીનતા અને આધુનિક આરોગ્યસંભાળનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થશે.
#WATCH | Kerala: At a programme in Thiruvananthapuram, PM Narendra Modi says, "To build a Viksit Bharat, the entire country is making a collective effort. In building Viksit Bharat our cities are playing a major role. In the last 11 years, the Centre has been investing a lot in… pic.twitter.com/efezb3rpBk
— ANI (@ANI) January 23, 2026
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર શહેરના ગરીબ પરિવારો માટે પણ વ્યાપક સ્તરે કામ કરી રહી છે. પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં 4 કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરીને ગરીબોને આપવામાં આવ્યું છે, જેમાંથી એક કરોડથી વધુ ઘરો શહેરી ગરીબો માટે છે. તેમણે જણાવ્યું કે કેરળમાં પોણા બે લાખથી વધુ લોકોને તેમના કાયમી ઘરો મળી ચૂક્યા છે. આ તમામ પહેલો કેરળના સર્વાંગી વિકાસને વેગ આપશે અને રાજ્યને દેશના વિકાસના માર્ગમાં વધુ મજબૂત બનાવશે, તેમ પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel