શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં સદાય માટે અંકિત રહી છે અને તેમની કુરબાની દેશના ઈતિહાસમાં અમર બની ગઈ છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે ખૂબ નાની ઉંમરે જ આ યુવાન ક્રાંતિકારીઓએ અસાધારણ હિંમત અને દેશપ્રેમનો પરિચય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે બ્રિટિશ વસાહતી શાસનની શક્તિ સામે ડર્યા વિના, તેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરવાનો માર્ગ પસંદ કર્યો. તેમના માટે રાષ્ટ્ર સર્વોપરી હતું અને પોતાના જીવનથી પણ વધારે મહત્વ દેશને આપ્યું હતું.
Today, we bow in reverence to the brave sons of Bharat Mata, Bhagat Singh, Rajguru and Sukhdev. Their martyrdom for the nation remains etched in our collective memory.
At a young age, they displayed extraordinary courage and an unshakable commitment to the cause of India’s… pic.twitter.com/ZrTxC8PoTI
— Narendra Modi (@narendramodi) March 23, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના આદર્શો—ન્યાય, દેશભક્તિ અને નિર્ભય પ્રતિકાર—આજે પણ કરોડો ભારતીયોને પ્રેરણા આપે છે. તેમની શહાદત માત્ર ઇતિહાસનો ભાગ નથી, પરંતુ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
શહીદ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં લોકો આ મહાન વીર સપૂતોને યાદ કરી તેમની કુરબાનીને સલામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના આ સંદેશે ફરી એકવાર દેશવાસીઓને દેશપ્રેમ અને બલિદાનની ભાવના સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel