ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી સેમી લકઝરી બસોની સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે તેમજ નડિયાદ,આણંદ અંજાર વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આવી નવી બસો શરૂ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા મળી શકે. નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel