રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અને મહિલાઓની ભાગીદારી સહિતના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ખાસ ભાર મૂક્યો કે આજની યુવા પેઢીને માત્ર વિરોધના આધારે દેશવિરોધી ગણવી યોગ્ય નથી અને તેમની ફરિયાદો સાંભળીને સંવાદ દ્વારા ઉકેલ શોધવો જોઈએ.
‘વિદ્યાર્થી આંદોલન પણ સંવાદનો એક માર્ગ’
વિદ્યાર્થી આંદોલન વિશે બોલતાં મોહન ભાગવતે કહ્યું કે લોકશાહીમાં વિરોધ અને આંદોલનને માત્ર ટકરાવ તરીકે જોવું યોગ્ય નથી. તેમના મત મુજબ જ્યારે લોકોની વાત અથવા ચિંતા યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી ત્યારે આંદોલન સરકાર અને સમાજ સુધી સંદેશ પહોંચાડવાનું એક માધ્યમ બની શકે છે.
તેમણે ભાર મૂક્યો કે ચર્ચા, વાદવિવાદ અને વિરોધથી આગળ વધીને પરસ્પર સંવાદ વધુ મહત્વપૂર્ણ છે. સમસ્યાનો સ્થાયી ઉકેલ ત્યારે જ આવી શકે જ્યારે બંને પક્ષ એકબીજાની વાત સાંભળે.
‘Gen Z દેશવિરોધી નથી, તેમની ફરિયાદો સમજવી પડશે’
Gen Z વિશે મોહન ભાગવતે કહ્યું કે યુવાનોને દેશવિરોધી અથવા કોઈના એજન્ટ તરીકે ગણાવી દેવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે નવી પેઢી દેશ અને સમાજનો જ હિસ્સો છે અને જો યુવાનો કોઈ પ્રશ્ન ઉઠાવે છે તો તેની પાછળના કારણોને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ.
તેમણે બંધારણીય અને શાંતિપૂર્ણ વિરોધને મહત્વ આપતાં કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલા બંધારણમાં પણ મતભેદ અને વિરોધ વ્યક્ત કરવા માટે લોકશાહી માળખું ઉપલબ્ધ છે.
#WATCH | Mumbai, Maharashtra: On recent students' protest and dialogues, RSS chief Mohan Bhagwat says, "…In democracy, protest is also a method to have consensus. Lot of views come together and a consensus is evolved after discussion, that discussion may happen through… pic.twitter.com/NYItiwEUXN
— ANI (@ANI) August 6, 2026
‘આજની પેઢી દરેક પ્રશ્નનો જવાબ ઈચ્છે છે’
મોહન ભાગવતે કહ્યું કે જૂની અને નવી પેઢી વચ્ચેનો એક મોટો ફરક પ્રશ્ન પૂછવાની રીતમાં જોવા મળે છે. તેમના મુજબ અગાઉ બાળકો મોટાઓની વાત ઘણી વખત પ્રશ્ન વગર સ્વીકારી લેતા, જ્યારે આજની પેઢી દરેક બાબત પાછળનું કારણ જાણવા માંગે છે.
તેમણે જણાવ્યું કે જો સંબંધો વિશ્વાસ પર આધારિત હોય તો યુવાનોના પ્રશ્નોના જવાબ આપવાના રસ્તા ખુલે છે. લોકશાહી વ્યવસ્થામાં ખુલ્લો જાહેર સંવાદ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
#WATCH | Mumbai, Maharashtra: On recent students' protest and protesters called 'anti-nationals', RSS chief Mohan Bhagwat says, "If Gen Z is protesting, they are not anti-nationals. They are our own people, our next generation…I do not believe Gen Z is like that…I think the… pic.twitter.com/Bxkg4uLS2Z
— ANI (@ANI) August 6, 2026
શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર
ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે મોહન ભાગવતે કહ્યું કે આ ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓની કેટલીક ફરિયાદોને યોગ્ય ગણાવી અને જણાવ્યું કે યુવાનોના પ્રશ્નોને અવગણવાને બદલે શિક્ષકો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓએ ગંભીરતાથી લેવાની જરૂર છે.
તેમણે Debate અને ભારતીય પરંપરાના ‘શાસ્ત્રાર્થ’ વચ્ચે તુલના કરતાં જણાવ્યું કે વિચારવિમર્શ અને બૌદ્ધિક ચર્ચાની પરંપરા ભારત માટે નવી નથી. બાળકોને પ્રશ્ન પૂછવા દેવા અને તેમના પ્રશ્નોના તર્કસંગત જવાબ આપવાની સંસ્કૃતિ જરૂરી હોવાનું તેમણે કહ્યું.
Same-Sex Marriage અંગે શું કહ્યું?
સમલૈંગિક લગ્ન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે LGBT સમુદાય સમાજનો હિસ્સો છે અને તેની હાજરીને નકારી શકાતી નથી.
તેમણે લગ્નને માત્ર બે વ્યક્તિઓ વચ્ચેના ખાનગી સંબંધ તરીકે નહીં પરંતુ સામાજિક સંસ્થા તરીકે વર્ણવ્યું. તેમના મત મુજબ પરિવાર સમાજની મૂળભૂત એકમ છે અને લગ્ન સંબંધિત કાયદાકીય અથવા સામાજિક ફેરફારો કરતી વખતે વ્યાપક સામાજિક સ્વીકાર અને સ્પષ્ટ કાનૂની માળખું મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની દિશામાં કોઈ નિર્ણય લેવાય તો તે માટે સ્પષ્ટ કાયદો અને સમાજમાં પૂરતી ચર્ચા જરૂરી હોવી જોઈએ.
Pakistan અને China અંગે પણ આપ્યું નિવેદન
ચીન અને પાકિસ્તાન અંગે વાત કરતાં મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સંકટના સમયમાં નાગરિકોએ સરકારના સૂચનોનું પાલન કરવું જોઈએ.
ચીન અંગે તેમણે દાવો કર્યો કે ભારત અને ચીન વચ્ચેનો ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધ હજારો વર્ષ જૂનો છે. પાકિસ્તાન અંગે તેમણે ભારત સાથેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોઈપણ રાજકીય અથવા સીમા વિવાદ કાયમી દુશ્મનીમાં પરિવર્તિત થવો જરૂરી નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે અંતે સંઘર્ષ પછી પણ સંવાદ જરૂરી બને છે અને માનવતા રાજકીય વિવાદોથી ઉપર હોવી જોઈએ.
#WATCH | Mumbai, Maharashtra: On India's relations with Pakistan & China in terms of civlian ties in the times of conflict and otherwise, RSS chief Mohan Bhagwat says, "In the times of conflict, we have to go with whatever our Govt does. But that should not sever the ties which… pic.twitter.com/OPYBKOc4C4
— ANI (@ANI) August 6, 2026
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે શું કહ્યું?
વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અંગે પૂછાયેલા પ્રશ્ન પર મોહન ભાગવતે જણાવ્યું કે તેમની પાસે સમગ્ર ઘટનાની સંપૂર્ણ અને ચકાસેલી માહિતી નથી. તેમણે કહ્યું કે કેટલાક અહેવાલોમાં બહારના તત્વો વિદ્યાર્થીઓના જૂથમાં પ્રવેશ્યા હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેઓ તેની સત્યતા અંગે નિશ્ચિતપણે કહી શકતા નથી.
તેમણે ઉમેર્યું કે જો કોઈ એક પક્ષ પર વિશ્વાસ પસંદ કરવાની સ્થિતિ આવે તો તેઓ નવી પેઢી પર વિશ્વાસ રાખવાનું પસંદ કરશે. તેમના મત મુજબ Gen Z ઘણી બાબતોમાં વધુ ખુલ્લી અને ઈમાનદાર છે.
RSSમાં મહિલાઓની ભૂમિકા અંગે જવાબ
RSSમાં મહિલાઓની ભૂમિકા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે જણાવ્યું કે મહિલાઓ માટે અલગ સંગઠનાત્મક માળખું કાર્યરત છે અને મહિલાઓ સામાજિક તથા રાષ્ટ્રીય જીવનના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.
તેમણે કહ્યું કે નિર્ણય પ્રક્રિયામાં પણ મહિલાઓના મત અને વિચારોને મહત્વ આપવામાં આવે છે. તેમના મુજબ મહિલાઓને સમાન તક, સમાન અધિકાર અને નેતૃત્વમાં વધુ ભાગીદારી મળવી જોઈએ અને દેશના વિકાસ માટે મહિલાઓની સક્રિય ભૂમિકા અત્યંત જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel