મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર સર્જ્યો છે.
આ ઘટનાને રાજકીય વર્તુળોમાં ‘ઓપરેશન ટાઇગર’ તરીકે ઓળખવામાં આવી રહ્યું હતું અને હવે તેના સફળ થવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
એકનાથ શિંદેની હાજરીમાં સત્તાવાર જોડાણ
સોમવાર (22 જૂન)ના રોજ યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં તમામ છ સાંસદોએ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
શિંદે જૂથમાં જોડાયેલા સાંસદોના નામ:
- સંજય હરિભાઉ જાધવ
- ભાઉસાહેબ રાજારામ વાક્ચૌરે
- ઓમપ્રકાશ ભુપાલસિંહ નિમ્બાલકર
- સંજય દીના પાટીલ
- સંજય ઉત્તમરાવ દેશમુખ
- નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર
આ તમામ સાંસદો અગાઉ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) સાથે સંકળાયેલા હતા.
मुंबई में शिवसेना (UBT) के छह बागी सांसद उपमुख्यमंत्री Eknath Shinde के साथ मंच साझा करते दिखाई दिए।
📌 राजनीतिक गलियारों में चर्चा है कि ये सांसद जल्द ही शिवसेना में शामिल हो सकते हैं।
📌 इस घटनाक्रम को महाराष्ट्र की राजनीति में बड़े बदलाव के संकेत के रूप में देखा जा रहा है।… pic.twitter.com/1PQe7GXObC
— One India News (@oneindianewscom) June 22, 2026
શિંદેનો સંજય રાઉત પર આડકતરો પ્રહાર
કાર્યક્રમ દરમિયાન પત્રકારોને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું કે, “આજે છ સાંસદો અમારી સાથે જોડાયા છે. અમારી સાથે હવે ત્રણ સંજય છે. ઉપરાંત સંજય રાઠોડ જેવા ધારાસભ્ય પણ અમારી સાથે છે. એટલે હવે બીજા કોઈ સંજયની ચર્ચા કરવાની જરૂર નથી.”
રાજકીય વિશ્લેષકોના મતે, શિંદેનો આ સંકેત શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉત તરફ હતો, જેઓ છેલ્લા કેટલાક સમયથી શિંદે જૂથના કટ્ટર વિવેચક રહ્યા છે.
‘ઓપરેશન ટાઇગર’ આખરે સફળ
છેલ્લા કેટલાક અઠવાડિયાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ઓપરેશન ટાઇગર’ની ચર્ચા ચાલી રહી હતી. એવી અટકળો હતી કે ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક સાંસદો શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાંસદોની બેઠક પણ બોલાવી હતી, પરંતુ તેમાં નવમાંથી માત્ર ત્રણ સાંસદો જ હાજર રહ્યા હતા. બાકીના છ સાંસદોની ગેરહાજરીએ રાજકીય ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો.
હવે આ છ સાંસદોએ સત્તાવાર રીતે પક્ષ બદલીને શિંદે જૂથમાં પ્રવેશ કરતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
લોકસભા સ્પીકરને અગાઉથી પત્ર લખાયો હતો
માહિતી અનુસાર, આ તમામ સાંસદોએ થોડા દિવસો અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને પક્ષ બદલવાની મંજૂરી અને માન્યતા અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે તેઓ સત્તાવાર રીતે એકનાથ શિંદેની શિવસેનાનો ભાગ બની ગયા છે.
UBTની નોટિસ હવે બિનઅસરકારક?
શિવસેના (UBT) દ્વારા પક્ષ છોડતા સાંસદોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે હવે સાંસદોએ સત્તાવાર રીતે પક્ષ પરિવર્તન કરી લીધું હોવાથી આ નોટિસનું રાજકીય મહત્વ ઘટી ગયું હોવાનું માનવામાં આવે છે.
રાજકીય નિષ્ણાતોના મતે હવે UBT માટે આ સાંસદો સામે અસરકારક કાર્યવાહી કરવી મુશ્કેલ બની શકે છે.
Mumbai: Maharashtra Deputy CM and Shiv Sena chief Eknath Shinde says, "Today, 6 MPs have joined us. Sanjay Haribhau Jadhav, Bhausaheb Rajaram Wakchaure, Omprakash Bhupalsingh Nimbalkar, Sanjay Dina Patil, Sanjay Uttamrao Deshmukh and Nagesh Bapurao Patil Ashtikar. So we have 3… https://t.co/7glFSnOLXx pic.twitter.com/J99daG9PHN
— ANI (@ANI) June 22, 2026
પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં પડે?
લોકસભામાં ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે કુલ 9 સાંસદો હતા. જેમાંથી 6 સાંસદોએ પક્ષ બદલ્યો છે.
ભારતીય બંધારણના પક્ષપલટા વિરોધી કાયદા અનુસાર જો કોઈ પક્ષના બે તૃતિયાંશ (2/3) અથવા તેથી વધુ સભ્યો એકસાથે અલગ જૂથ બનાવે અથવા અન્ય પક્ષમાં જોડાય, તો તેમની સભ્યતા રદ થતી નથી.
આ કેસમાં 9માંથી 6 સાંસદોએ પક્ષ બદલ્યો હોવાથી બે તૃતિયાંશનો આંકડો પૂર્ણ થાય છે. જેના કારણે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો
છ સાંસદોના શિંદે જૂથમાં જોડાવાથી મહારાષ્ટ્રમાં શિવસેનાની અંદરની લડાઈને નવો વળાંક મળ્યો છે. આ ઘટનાથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો રાજકીય ફટકો પડ્યો છે, જ્યારે શિંદેની શિવસેનાને લોકસભા સ્તરે વધુ મજબૂતી મળી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ ઘટનાને મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નિર્ણાયક વળાંક તરીકે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel