ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પાટનગરવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા તથા માર્ગ-મકાન પાટનગર યોજના અંતર્ગત કુલ ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં શહેરી સુવિધાઓ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, પાણી, ડ્રેનેજ, બગીચા, જાહેર પરિવહન અને સાંસ્કૃતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી. ચૂંટણી પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરમાં છવાયો વિકાસનો ઉત્સવ..
પાટનગર ગાંધીનગરમાં નાગરિકોનું જીવન વધુ સુખ-સુવિધામય બનાવતા રૂ. 1848 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
જે અંતર્ગત, મહાનગરમાં 30 જેટલી ઈકો-ફ્રેન્ડલી ઈ-બસ, અર્બન હેલ્થ સેન્ટર, નવીન આંગણવાડીઓ, બગીચાઓ અને તળાવોનું બ્યુટિફિકેશન,… pic.twitter.com/yxRDEY0eMY
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 12, 2026
ગાંધીનગર મનપાના ₹798.56 કરોડના વિકાસકાર્યો
ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક કુલ ₹798.56 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમાં ₹210.82 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 14 વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત અંદાજિત ₹587.74 કરોડના ખર્ચે તૈયાર થનારા 16 નવા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રકલ્પો પૂર્ણ થયા બાદ ગાંધીનગરની શહેરી સુવિધાઓમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ પાટનગર યોજના વિભાગના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત. https://t.co/1cru1Ba8E6
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 12, 2026
સેક્ટર-26માં નવું અર્બન હેલ્થ સેન્ટર
આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરના સેક્ટર-26માં નવું અને આધુનિક અર્બન હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવશે.
આ પ્રકલ્પથી શહેરના આસપાસના વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક અને શહેરી આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.
ગાંધીનગરની ઓળખ માત્ર ગુજરાતના પાટનગર તરીકે નહીં, પરંતુ સુવ્યવસ્થિત, સ્વચ્છ, શાંત અને હરિયાળું શહેર તરીકે વધુ મજબૂત બની રહી છે. શહેરના સર્વાંગી વિકાસ માટે આજે અનેક મહત્વપૂર્ણ કાર્યોને નવી દિશા અને ગતિ મળી છે.
ગાંધીનગરના નાગરિકોની વિકાસ પ્રત્યેની હકારાત્મકતા, સહકાર અને અદમ્ય… pic.twitter.com/QgTB9EFBtB
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2026
સેક્ટર-20, ઝુંડાલ અને અમિયાપુરમાં નવા બગીચા
શહેરમાં હરિયાળી અને જાહેર મનોરંજનની સુવિધાઓ વધારવા સેક્ટર-20, ઝુંડાલ અને અમિયાપુર ખાતે નવા બગીચાઓ વિકસાવવાની યોજના છે.
તે ઉપરાંત રાયસણ ખાતે આવેલા સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ પણ હાથ ધરવામાં આવશે, જેથી કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
CC રોડ, સ્ટોર્મ વોટર લાઈન અને ઓવરહેડ ટાંકીના કામો
ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે નવા CC રોડનું નિર્માણ કરવામાં આવશે. ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ઘટાડવા સ્ટોર્મ વોટર લાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે.
નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે નવી ઓવરહેડ ટાંકીઓના નિર્માણનો પણ પ્રકલ્પોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
PM e-Bus સેવાના બીજા તબક્કાનો પ્રારંભ
પર્યાવરણમૈત્રી અને આધુનિક જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા ગાંધીનગરમાં PM e-Bus સેવાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 નવી ઈલેક્ટ્રિક બસોને લીલીઝંડી આપી. અગાઉ પ્રથમ તબક્કામાં 40 ઈ-બસ શરૂ કરવામાં આવી હતી. હવે વધુ 30 બસોના ઉમેરા સાથે શહેરમાં ઈ-બસ નેટવર્ક વધુ વિસ્તૃત બનશે.
આ પગલાથી પાટનગરમાં જાહેર પરિવહન વધુ આધુનિક બનશે અને પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.
ગુજરાત યુનિવર્સિટીમાં દુર્લભ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન
કાર્યક્રમ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. ગુજરાત યુનિવર્સિટીના દુર્લભ પુસ્તકોના સંગ્રહને “A Collection of Rare Books” નામથી ડિજિટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યો.
આ પહેલથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણવિદોને જૂના અને દુર્લભ પુસ્તકો સુધી વધુ સરળતાથી ડિજિટલ ઍક્સેસ મળી શકશે.
સાથે જ વિશ્વભરમાં વસતા ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિશેષ Alumni Association ડિજિટલ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું.
LIVE: Conference on Coastal Ecology Safety & Sustainability (CCESS 2026) સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિતિ. સ્થળ : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ https://t.co/dLRDCVk0eS
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 12, 2026
હર્ષ સંઘવીએ ગાંધીનગરના વિકાસ અંગે શું કહ્યું?
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં જણાવ્યું કે એક સમય હતો જ્યારે ગાંધીનગરની ઓળખ મુખ્યત્વે ‘સચિવાલયના શહેર’ તરીકે થતી હતી, પરંતુ છેલ્લા વર્ષોમાં શહેરના વિકાસ સાથે તેની ઓળખ બદલાઈ છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ અને નાગરિક જીવનની ગુણવત્તા સુધારવા સતત રોકાણ કર્યું છે.
ભાજપ સરકારના સુશાસનમાં નાગરિકોના સાહસ, સંકલ્પ અને સહકારથી આજે ગાંધીનગરની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. pic.twitter.com/YevZhBeU72
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2026
‘મુખ્યમંત્રી ઓછું બોલે છે પરંતુ મક્કમ રીતે કામ કરે છે’
હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યશૈલીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ઓછું બોલે છે, પરંતુ નિર્ણયો લેવામાં મક્કમ છે.
તેમણે ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી હોવાનો દાવો કરતાં જણાવ્યું કે લાંચ અને ગેરરીતિના કેસોમાં જવાબદાર અધિકારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મનપા ચૂંટણી પહેલાં વિકાસકાર્યોનો મોટો કાર્યક્રમ
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીની જાહેરાત નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ₹1,848 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર આ કાર્યક્રમને ગાંધીનગરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત કરવાની વિકાસયાત્રાનો ભાગ ગણાવી રહી છે, જ્યારે આગામી દિવસોમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત પર પણ સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel