સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીનું કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ‘મન કી બાત’ માત્ર એક રેડિયો કાર્યક્રમ નહીં પરંતુ દેશના કરોડો નાગરિકોને જોડતો જનસંવાદ છે. પ્રધાનમંત્રી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા વ્યક્તિઓના પ્રેરણાદાયી કાર્યો, સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવાનોની ભૂમિકા તેમજ જનભાગીદારી જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે, જે દેશવાસીઓને સતત પ્રેરણા પૂરું પાડે છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોએ ખૂબ જ રસપૂર્વક ‘મન કી બાત’નું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમમાં વ્યક્ત થયેલા વિચારો અને સંદેશાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel