પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે.
प्रधानमंत्री मोदी मिडिल ईस्ट संकट को लेकर लोकसभा में चर्चा कर रहे हैं.
उन्होंने कहा कि पश्चिमी एशिया के हालात बेहद चिंताजनक हैं.
देखिए उन्होंने क्या कहा…#MiddleEast #IranIsraelWar #PMModi #NarendraModi #LatestNews
[ Middle East Crisis, LPG Import, Western Asia… pic.twitter.com/A4VlmlVzpx
— One India News (@oneindianewscom) March 23, 2026
છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર સીધી અસર જોવા મળી રહી છે. આ સંજોગોમાં ભારત પણ સતર્ક બનીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
Speaking in the Lok Sabha. https://t.co/BIrR385m4O
— Narendra Modi (@narendramodi) March 23, 2026
આ મુદ્દે આજે લોકસભામાં નરેન્દ્ર મોદીએ ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સંકટ અત્યંત ચિંતાજનક છે અને તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેમણે જણાવ્યું કે આ યુદ્ધે ભારત સામે આર્થિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના નવા પડકારો ઊભા કર્યા છે. આ અંગે એસ જયશંકર અને હરદીપ પુરી દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "The situation in West Asia is worrisome. In the last 2-3 weeks, EAM Dr S Jaishankar and Union Minister Hardeep Puri have provided the details of the situation to the House. This conflict has been going on for… pic.twitter.com/glAmgzVDyP
— ANI (@ANI) March 23, 2026
વડાપ્રધાને સંસદમાંથી વિશ્વને સંદેશ આપતા કહ્યું કે આ સંકટનું ટૂંક સમયમાં શાંતિપૂર્ણ સમાધાન થવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદેશોમાં રહેલા ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારે અસરગ્રસ્ત દેશોમાં 24 કલાક હેલ્પલાઇન, કંટ્રોલ રૂમ અને દૂતાવાસ મારફતે સતત સહાયતા શરૂ રાખી છે. યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી લાખો ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે, જેમાં ઈરાન માંથી જ એક લાખથી વધુ લોકો પરત ફર્યા છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Our missions in the affected countries are continuously engaged in helping Indians. Whether it's Indians working there or tourists who have gone there, everyone is being provided with all possible assistance.… pic.twitter.com/WEWvQWwtGo
— ANI (@ANI) March 23, 2026
ઊર્જા સુરક્ષા મુદ્દે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત માટે Strait of Hormuz ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસની આયાત અહીંથી કરે છે. યુદ્ધના કારણે અહીં જહાજોની અવરજવર પડકારજનક બની છે, છતાં પેટ્રોલ, ડીઝલ અને LPGની સપ્લાય પર કોઈ મોટી અસર ન પડે તે માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. હાલમાં ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Since the war began, more than 3,75,000 Indians have returned safely to India. From Iran, nearly 1,000 Indians have returned safely so far, of which over 700 are medical students. In view of the situation,… pic.twitter.com/laIMJ2KDjX
— ANI (@ANI) March 23, 2026
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ઈથેનોલ બ્લેન્ડિંગ 20 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે અને રેલવે વીજળીકરણ તેમજ ઈલેક્ટ્રિક બસો જેવી પહેલોથી ઇંધણ પરનો ભાર ઘટાડવામાં આવી રહ્યો છે.
ખાદ્ય સુરક્ષા મુદ્દે તેમણે જણાવ્યું કે દેશના ખેડૂતોના પ્રયત્નોથી ભારતમાં પૂરતો અનાજ ભંડાર ઉપલબ્ધ છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર અસર છતાં દેશમાં કોઈ અછત સર્જાઈ નથી. સરકારે તમામ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે સતત ચર્ચા કરીને આ સંકટની અસર ઓછી કરવા માટે વ્યૂહરચના તૈયાર કરી છે.
આ રીતે, વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સરકાર દેશની સુરક્ષા, ઊર્જા પુરવઠો અને આર્થિક સ્થિરતા જાળવવા માટે સક્રિય અને સતર્ક છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel